Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : A horrific accident involving four vehicles in Uttar Pradesh, 8 devotees died in horrific circumstances

ઉત્તરપ્રદેશમાં ચાર વાહનોનો ભીષણ અકસ્માત, 8 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત

Timeછેલ્લું અપડેટ : 20 Feb 2025
લાઇવ ટીવીGoogle News
ઉત્તરપ્રદેશમાં ચાર વાહનોનો ભીષણ અકસ્માત, 8 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત

વારાણસી-લખનૌ નેશનલ હાઈવે 731 ના સરોખનપુર અંડર પાસ પર ભીષણ માર્ગ દુર્ઘટના થઈ. બે વાહનોની ટક્કરમાં ટાટા સૂમોમાં સવાર પાંચ લોકોના મોત નીપજ્યા. જ્યારે છ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા. તે ઘટનાના સમયે એક બસ ટ્રેલર સાથે અથડાઈ ગઈ. આ દુર્ઘટનામાં બસમાં સવાર ત્રણ લોકોના મોત નીપજ્યા જ્યારે 27 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. તમામ ઈજાગ્રસ્તોને સીએચસીથી જિલ્લા હોસ્પિટલ રેફર કરી દેવાયા છે. દુર્ઘટના બાદ વધુ એક શ્રદ્ધાળુનું મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું. દરમિયાન મૃતકોની સંખ્યા નવ થઈ ગઈ છે. બસમાં સવાર તમામ લોકો દિલ્હીના જણાવાઈ રહ્યાં છે, જે ચિત્રકૂટથી પ્રયાગરાજ થઈને વારાણસી દર્શન બાદ અયોધ્યા જઈ રહ્યાં હતાં. સૂમો સવાર તમામ ઝારખંડના છે, જે વારાણસીથી અયોધ્યા દર્શન કરવા જઈ રહ્યાં હતાં. 

App Store

ઘટના બાદ સ્થળ પર બૂમો પડવા લાગી. ઘટના તે સમયે થઈ જ્યારે બસમાં સવાર દર્શનાર્થી સૂઈ ગયા હતાં. અચાનક ઝડપી અવાજ સાથે બસ ટ્રેલરથી અથડાઈ તો દર્શનાર્થી ચોંકી ગયા. સૂતાં હોવાના કારણે ઘણા લોકો અચાનક ઈજાગ્રસ્ત થઈ ગયા. આગળ બેઠેલા દર્શનાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા. સૂમોમાં સવાર દર્શનાર્થી પણ અડધી ઊંઘમાં જ હતાં. ઘટના બાદ અફરાતફરીમાં તમામને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. મૃતકોના પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે.

ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ટીમ સાથે પહોંચી ગઈ. પોલીસ કર્મચારીઓએ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા. પ્રાથમિક સારવાર બાદ તમામને જિલ્લા હોસ્પિટલ પહોંચાડાયા. પોલીસે તમામ આઠ મૃતદેહને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. 

હેલી ઘટનામાં ઝારખંડથી 11 દર્શનાર્થીઓને લઈને નીકળેલી સૂમો જે એચ 02 એ એક્સ 1652 કાશી વિશ્વનાથ દર્શન બાદ રામ લલાના દર્શન કરવા અયોધ્યા જઈ રહ્યા હતા. રાત્રે લગભગ દોઢ વાગ્યા નજીક સરોખનપુર ગામ સ્થિત અંડર પાસ પુલથી 200 મીટર આગળ વધી હતી કે કોઈ અજાણ્યા મોટા વાહને નજીકથી ટક્કર મારી દીધી. 

દુર્ઘટનામાં સૂમોમાં સવાર પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. મૃતકોમાં ત્રણ મહિલા, એક પુરુષ અને એક લગભગ 5 વર્ષીય બાળક હતું. 60 વર્ષીય કાંતિ દેવી, 20 વર્ષીય નિતેશ અને ચાર અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે રાહત કાર્યમાં લાગીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલ્યા. 

ટ્રેલરમાં અથડાઈ બસ

આ દરમિયાન સવા બે વાગ્યા નજીક અંડર પાસ પુલની ઉપર બિહારથી ચોખા ભરીને બરેલી જઈ રહેલા ટ્રેલરમાં કાશી વિશ્વનાથથી દર્શન કરીને અયોધ્યા તરફ જઈ રહેલી ઝડપી બસ ઘૂસી ગઈ. જેના કારણે બસ ડ્રાઈવર, તેમની મોટી બહેન અને તેમની દાદીનું મૃત્યુ થયું. 

દિલ્હીથી ત્રણ બસોમાં સવાર થઈને નીકળ્યા હતાં દર્શનાર્થી

ત્રણ બસોમાં સવાર લગભગ દોઢ સો દર્શનાર્થી દિલ્હીના માદીપુર મોહલ્લાથી 15 ફેબ્રુઆરીની રાત્રે દર્શન-પૂજા માટે નીકળ્યા. જ્યાં 16 ફેબ્રુઆરીની સાંજે ચિત્રકૂટ પહોંચીને દર્શન પૂજા કરી. તે બાદ 17 ફેબ્રુઆરીની સાંજે પ્રયાગરાજ પહોંચીને મહાકુંભમાં અમૃત સ્નાન કર્યું. પ્રયાગરાજથી નીકળીને 19ની સવારે કાશી પહોંચેલા જ્યાં બાબા વિશ્વનાથના દર્શન કર્યા. તમામ દર્શનાર્થી લગભગ 10 વાગે રાત્રે અયોધ્યા જવા માટે નીકળ્યા. સૌથી આગળ ચાલી રહેલી બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. ઘટના સ્થળ પર પહોંચીને એસડીએમ યોગિતા સિંહે જરૂરી દિશા નિર્દેશ આપતાં અન્ય મુસાફરોને જરૂરી સુવિધા પૂરી પાડી.