Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 7 AAP MLAs resigned before Delhi elections

દિલ્હી ચૂંટણી પહેલા AAPને મોટો ઝટકો, એક જ દિવસમાં 7 ધારાસભ્યોના રાજીનામા

Timeછેલ્લું અપડેટ : 31 Jan 2025
લાઇવ ટીવીGoogle News
દિલ્હી ચૂંટણી પહેલા AAPને મોટો ઝટકો, એક જ દિવસમાં 7 ધારાસભ્યોના રાજીનામા

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. આમ આદમી પાર્ટીના 7 ધારાસભ્યોએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. આમાં ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત મહેરૌલિયા, જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિ, કસ્તુરબા નગરના ધારાસભ્ય મદનલાલ, પાલમના ધારાસભ્ય ભાવના ગૌર, મહેરૌલીના ધારાસભ્ય નરેશ યાદવ, આદર્શ નગર બેઠક પરથી પવન શર્મા અને બિજવાસન બેઠક પરથી ધારાસભ્ય બીએસ જૂનના નામનો સમાવેશ થાય છે.

App Store

આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યોએ તેમના પત્રમાં જણાવ્યું હતું કે પાર્ટી હવે તે પ્રામાણિક વિચારધારાથી સંપૂર્ણપણે ભટકી ગઈ છે જેના પર આમ આદમી પાર્ટીની સ્થાપના થઈ હતી. આમ આદમી પાર્ટીની હાલત જોઈને મને ખૂબ જ દુઃખ થયું.

રાજીનામું આપનારા ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી

આ એ ધારાસભ્યો છે જેમની ટિકિટ આ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ કાપી હતી. આ ઉપરાંત, બિજવાસનથી બીએસ જૂન અને આદર્શ નગરથી પવન શર્માએ પણ રાજીનામું આપી દીધું છે. પાર્ટીએ તે બધાની ટિકિટ રદ કરી દીધી હતી, જેના કારણે તેઓ ગુસ્સે હતા.

  • ભાવના ગૌર, પાલમ
  • નરેશ યાદવ, મહેરૌલી
  • રાજેશ ઋષિ, જનકપુરી
  • મદન લાલ, કસ્તુરબા નગર
  • રોહિત મેહરૌલિયા, ત્રિલોકપુરી
  • બી એસ જૂન, બિજવાસન
  • પવન શર્મા, આદર્શ નગર

રોહિત કુમારે પોતાના રાજીનામા પત્રમાં અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું, "તમારી વાત પર વિશ્વાસ કરીને, મારા સમુદાયે તમને એકતરફી સમર્થન આપ્યું જેના કારણે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર ત્રણ વખત બની. આમ છતાં, ન તો કોન્ટ્રાક્ટ આપવાની પ્રથા બંધ કરવામાં આવી કે ન તો 20-20 વર્ષથી કામચલાઉ નોકરીઓ પર કામ કરતા લોકોને કાયમી કરવામાં આવ્યા. મારા સમુદાયનો ઉપયોગ ફક્ત રાજકીય મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે વોટ બેંક તરીકે કરવામાં આવ્યો છે.”