Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 21 Tamil Nadu pilgrims rescued amid devastation in Nepal

નેપાળમાં તબાહી વચ્ચે તમિલનાડુના 21 યાત્રીઓનો આબાદ બચાવ, જણાવી ભયાનક આપવીતી

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2026
લાઇવ ટીવીGoogle News
નેપાળમાં તબાહી વચ્ચે તમિલનાડુના 21 યાત્રીઓનો આબાદ બચાવ, જણાવી ભયાનક આપવીતી
સોર્સ : gstv

નેપાળ-તિબેટ સરહદ નજીક પહાડી રસ્તા પર ગ્લેશિયર તૂટ્યા બાદ આવેલી વિનાશક પૂર અને ભેખડો ધસી પડવાની ઘટનામાં તમિલનાડુના યાત્રાળુઓની આપવીતી સામે આવી છે. સવારે 8 વાગ્યે સ્યાબ્રુબેસીથી ચીની ઇમિગ્રેશન તરફ જઈ રહેલા કાફલા પર અચાનક બોમ્બ ધમાકા જેવો ધડાકો થયો હતો. પહાડો પરથી 70 થી 80 ફૂટ ઊંચી માટી અને પથ્થરોની સુનામી જેવી લહેર નીચે ધસી આવી હતી. યાત્રાળુઓ કાદવ અને કાંટાળી ઝાડીઓ વચ્ચે જીવ બચાવવા માટે ઉપર તરફ ભાગવા લાગ્યા હતા.

App Store

સાડી અને કેબલ વાયર બની યાત્રાળુઓ માટે લાઈફલાઈન

બચી ગયેલા 21 યાત્રાળુઓમાં મોટાભાગના 50 વર્ષથી વધુ વયના હતા. પહાડના ઢોળાવ પરથી વારંવાર લપસી રહેલા યાત્રાળુઓને બચાવવા માટે ટોચ પર પહોંચેલી પૂંગોડી નામની મહિલાએ પોતાની સાડી ઉતારીને નીચે લટકાવી હતી. યાત્રાળુઓએ આ સાડી અને ત્યાં પડેલા એક કેબલ વાયરને મજબૂતીથી પકડીને ઉપર ચઢવાનું શરૂ કર્યું હતું. એક વૃદ્ધ મહિલા એકલા ચઢી ન શકતા તેમની કમરે સાડી બાંધીને જૂથના સભ્યોએ તેમને ઉપર ખેંચી લીધા હતા.

નેપાળી નાગરિકનું માર્ગદર્શન અને હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ

યાત્રાળુ નવુ કબીરદાસે જણાવ્યું કે જો એક પણ ભૂલ થઈ હોત તો તેઓ 50 ફૂટ નીચે ખાઈમાં ખાબકી ગયા હોત. એક તબક્કે ખોટા રસ્તે પહોંચી ગયા બાદ એક સ્થાનિક નેપાળી નાગરિકે તેમનું સાચું માર્ગદર્શન કર્યું હતું. કાંટાળી ઝાડીઓ વચ્ચે 3 કલાક સુધી પહાડી રસ્તે પગપાળા પ્રવાસ કર્યા બાદ તેઓ સેનાના હેલિકોપ્ટર સુધી પહોંચ્યા હતા. કઠિન યાત્રા બાદ કાઠમંડુ અને નવી દિલ્હી થઈને 21 યાત્રાળુઓ સુરક્ષિત રીતે ચેન્નઈ પહોંચ્યા છે.

હજુ પણ અનેક યાત્રાળુઓ ગુમ, તંત્ર દ્વારા શોધખોળ ચાલુ

આ ચમત્કારિક બચાવ બાદ પણ આશંકાઓ હજુ ઘેરી છે. 57 સભ્યોના આ જૂથમાંથી 36 યાત્રાળુઓ શનિવાર સુધી ગુમ હતા, જ્યારે ચેન્નઈના 49 યાત્રાળુઓનું અન્ય એક જૂથ પણ લાપતા છે. તામિલનાડુ સરકારના જણાવ્યા મુજબ રાજ્યમાંથી 400થી વધુ લોકો નેપાળ ગયા હતા, જેમાંથી 90 લોકો સાથે સંપર્ક થઈ શક્યો નથી. નેપાળ સેના અને ભારતીય દૂતાવાસ દ્વારા ગુમ થયેલા લોકોની શોધખોળ અને રાહત કામગીરી સતત ચાલુ છે.