VIDEO: ઈથેનોલના નામે 1200 કરોડનું ચોખા કૌભાંડ: મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો છે કે ભાજપના શાસનમાં મધ્યપ્રદેશ ભ્રષ્ટાચાર અને લૂંટનું કેન્દ્ર બની ગયું છે. ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે જવાબદારીની વિભાવનાને સત્તાના અહંકાર તળે કચડી નાખી છે. ખડગેએ દાવો કર્યો કે, હવે ઇથેનોલના નામે ૧૨૦૦ કરોડ રૂપિયાનું ચોખા કૌભાંડ સામે આવ્યું છે. જે ચોખાનો ઉપયોગ કુપોષિત બાળકો, સગર્ભા મહિલાઓ અને કિશોરીઓના પોષણ માટે થવાનો હતો, તે જ ચોખાને નફાના ખેલમાં ફેરવી દેવામાં આવ્યા હતા. કહ્યું કે, ૫ લાખ મેટ્રિક ટન ચોખાને રાઇસ મિલર્સ, ઇથેનોલ માફિયા અને ભાજપ સરકારના સંરક્ષણમાં ભ્રષ્ટાચારના ખેલનો હિસ્સો બનાવી દેવામાં આવ્યા. તેમણે કહ્યું કે ભાજપ અને સરકારી તંત્રની મિલીભગતથી જનતાના હકના અનાજ પર ડાકો પાડવામાં આવી રહ્યો છે.

