VIDEO: ખંભાળિયા પહોંચી કિસાન અધિર યાત્રા, 14 જુલાઈએ દ્વારકાધીશને અર્પણ કરશે ધજા
સોર્સ : gstv
ખેડૂતોના હક્ક અને અધિકારની માંગ સાથે વ્રજવાણીથી શરૂ થયેલી કિસાન કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલી "કિસાન અધિકાર પદયાત્રા" હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવેશી છે. ખંભાળિયા તાલુકાના માદેવીયા ગામે પહોંચેલી પદયાત્રાનું ખેડૂતો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ખેડૂતો આ પદયાત્રામાં જોડાયા હતા. હવે 14 જુલાઈએ પદયાત્રા દ્વારકા પહોંચશે, જ્યાં દ્વારકાધીશને ધ્વજા અર્પણ કરી ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રાર્થના કરવામાં આવશે. ખંભાળિયાના માદેવીયા ગામે પદયાત્રાનું સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. 14 જુલાઈએ દ્વારકાધીશના ચરણોમાં ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત સાથે આ અભિયાન વધુ ચર્ચામાં આવવાની શક્યતા છે."

