રાજ્યના આ રેલ્વે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને અપાયું સ્ટોપેજ, મુસાફરોને રહેશે અનુકૂળતા

સોર્સ : Google
રાજ્યમાં વલસાડવાસીઓ માટે ખુશખબર સામે આવી છે. કેન્દ્રીય રેલવે મંત્રાલય દ્વારા વલસાડ રેલવે સ્ટેશનને વંદેભારત હાઈ-સ્પીડ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે, ત્યારે ચાલો જાણી વંદેભારત ટ્રેનનો સમય સહિતની માહિતી.
વલસાડ રેલવે સ્ટેશનને વંદેભારત હાઈ-સ્પીડ ટ્રેનનું સ્ટોપેજ અપાયું
મળતી માહિતી મુજબ, વલસાડના રેલવે સ્ટેશન ખાતે વંદેભારત ટ્રેનનું સ્ટોપેજ કરવાની સ્થાનિકો સાંસદ-નાગરિકો દ્વારા છેલ્લા ઘણા સમયથી માગ કરવામાં આવી રહી હતી. જેને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા વલસાડવાસીઓને આ સુવિધા આપી છે. રેલવેના નિર્ણયથી સ્થાનિકોમાં હરખ છવાયો છે.
વલસાડ અને આસપાસના વિસ્તારોના લોકોને રેલવે મુસાફરીમાં ઘણી અનુકૂળતા રહેશે. જેનાથી વલસાડના વેપાર, ઉદ્યોગ અને પ્રવાસને પણ વેગ મળશે.

