VIDEO: વલસાડના ઉમરગામમાં માછીમારોએ કુદરતી આફત સામે જીવના જોખમે લોકોના પ્રાણ બચાવ્યા
સોર્સ : gstv
આજે દેશ કારગિલ વિજય દિવસની ઉજવણી કરી શૂરવીરોને નમન કરી રહ્યો છે, ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ટિમ્ભિ ગામના માછીવાડાના માછીમારો અને ખલાસીઓની બહાદુરી પણ એટલી જ પ્રેરણાદાયી છે. વારોલી નદીના પ્રચંડ પૂર અને આકાશી આફત વચ્ચે તેમણે પોતાના જીવની પરવા કર્યા વગર નાના બાળકો, મહિલાઓ અને અનેક પરિવારોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. ત્રણ દિવસ મોબાઇલ સેવા ખોરવાઈ જતાં આ વીરતાના દ્રશ્યો હવે સામે આવ્યા છે. બાળકોની ચીસો વચ્ચે જીવન બચાવવાની આ જંગમાં આ માછીમારો કુદરત સામે અડીખમ ઉભા રહ્યા હતા. મદદના નામે પ્રસિદ્ધિ મેળવતા લોકો કરતાં આવા નિઃસ્વાર્થ શૂરવીરોને સમાજ અને સરકાર દ્વારા યોગ્ય સન્માન મળવું સમયની માંગ છે.

