Video: Surendranagarમાં લોકાર્પણના બે જ કલાકમાં તળાવ બ્યુટિફિકેશનનો મેકઅપ ઉતરવા લાગ્યો, ભ્રષ્ટાચારના કરાયા આક્ષેપ
સોર્સ : GSTV
સુરેન્દ્રનગરના પાટડીમાં તળાવનું બ્યુટિફિકેશન થયું હતું. તંત્રએ સારો ખર્ચ કરી પ્રભારી મંત્રી દર્શના વાઘેલાની હાજરીમાં તળાવનું લોકાર્પણ પણ કર્યું, પણ આ કાર્યક્રમના બે જ કલાકમાં બ્યુટિફિકેશનનો મેકઅપ ઉતરવા લાગ્યો હતો. લોકોએ કામની ગુણવત્તા તપાસી તો રસ્તા પરથી કોંક્રિટ ઉખડવા લાગી હતી. હલકી ગુણવત્તાની કામગીરી સામે આવતા આ મામલે ફરીથી ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે, સાથે જ અધૂરા કામે જ ઉતાવળમાં લોકાર્પણ કર્યું હોવાનો આક્ષેપ પણ કરાયો છે. વિપક્ષે કહ્યું છે કે મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપ્યો હોવાથી વિકાસના કામો નબળા પડી ગયા છે.

