નકલી બિયારણ: ચુડામાં ડુપ્લિકેટ બી પધરાવીને કંપનીએ રળ્યો નફો, ખેડૂતોનો પાક ગયો નિષ્ફળ

સુરેન્દ્રનગરના ચુડામાં ગવારના ડુપ્લિકેટ બિયારણનો પર્દાફાશ થયો છે. ખેડૂતોને નકલી બિયારણ પધરાવી દેવામાં આવ્યું હતું. ખેડૂતોએ પાકનું વાવેતર તો કર્યુ પરંતુ ફાલ જ આવ્યો ન હતો.આમ સુરેન્દ્રનગરમાં ફરી એક વખત ખેડૂતો ડુપ્લિકેટ બિયારણોના નામે છેતરાયા છે. નકલી બિયારણ પધરાવીને કંપનીએ નફો રળી લીધો હતો.
ખેડૂતોમાં રોષ ફેલાયો
ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતોએ હજારો વિઘા જમીન પર ગવારનું વાવેતર તો કરાયું પરંતુ નકલી બિયારણના કારણે ફાલ ન આવતા પાક નિષ્ફળ ગયો છે. હવે ખેડૂત આગેવાનોએ બિયારણ કંપની અને બિયરણ વિક્રેતા પર પગલા ભરી યોગ્ય વળતર આપવાની માંગ કરી છે.

