Surendranagar news: તરણેતરના મેળામાં બેભાન કરીને વૃદ્ધોના ઘરેણા અને રોકડ રકમની લૂંટ ચલાવતી ગેંગનો આતંક

સોર્સ : GSTV
ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના થાનના તરણેતરના મેળામાં બેભાન કરીને વૃદ્ધના ઘરેણા અને રોકડ રકમની લૂંટ ચલાવતી ગેંગનો આતંક જોવા મળ્યો છે. તરણેતરના મેળામાં 2500 પોલીસકર્મીઓ તૈનાત હતા..તેમ છતાં મેળામાં બેહોશ કરીને લૂંટ આચરતી ટોળકીનો આતંક જોવા મલી રહ્ય છે.
ટોળકી મેળામાં એકલા આવતા વૃદ્ધોને જ ટાર્ગેટ કરતી
આ ટોળકી મેળામાં એકલા આવતા વૃદ્ધોને જ ટાર્ગેટ કરતી હતી..આઠ ડીવાયએસપી, 50 પીઆઈ અને 100 પીઆઈ છતાં પણ મેળામાં આવતા વૃદ્ધોની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે.. લૂંટ ગેંગનો ભોગ બનેલા અન બેહોશો થયેલા વૃદ્ધોને સામાન્ય સારવાર આપ રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. લૂંટારુ ગેંગ વૃદ્ધોએ પહેરેલા સોનાના ઘરેણા અને રોકડ રકમની લૂંટ કરી છે.

