VIDEO: સુરેન્દ્રનગર : ભોજનમાં મરેલી ગરોળી નીકળતા 10થીને વધુ ફૂડ પોઇઝનિંગ
સોર્સ : GSTV
સુરેન્દ્રનગર-બહુચરાજી રોડ પર આવેલી ભારત સીટ્સ કંપનીની કેન્ટીનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કર્મચારીઓને અપાતા ભોજનમાંથી મૃત ગરોળી મળી આવી હતી. આ ઝેરીલું ભોજન ખાધા પછી 10થી વધુ કર્મચારીઓની તબિયત લથડી હતી. આશ્ચર્યની વાત એ છે કે કંપનીએ આ ગંભીર મામલો છુપાવવાનો પૂરો પ્રયાસ કર્યો! એમ્બ્યુલન્સ બોલાવવાને બદલે બિમાર કર્મચારીઓને ખાનગી વાહનોમાં સારવાર અર્થે મહેસાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભોજનમાં બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી થાય તેવી કર્મચારીઓ હવે ઉગ્ર માંગ કરી રહ્યા છે.

