VIDEO Breaking : Surendranagar ની ભોગાવો નદીમાં ઊભા કરાયેલા દબાણો દૂર કરાયા
સોર્સ : gstv
સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો પર તંત્રએ રાતોરાત બુલડોઝર ફેરવી દીધું છે. નદીના પટમાં ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા ૮ જેટલા પાકા મકાનો અને તબેલાઓનું તંત્ર દ્વારા મોડી રાત્રે ડિમોલિશન કરવામાં આવ્યું છે. આ સાથે જ દબાણકર્તાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.ભોગાવો નદીમાં હજુ પણ અંદાજે ૫૦૦થી વધુ નાના-મોટા ગેરકાયદેસર દબાણો હોવાનું સામે આવ્યું છે, જેને પગલે તંત્ર દ્વારા આજથી જ તમામ દબાણકર્તાઓને નોટિસ આપવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. તંત્રની આ કડક કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

