Surendranagar: પાટડીના ધારાસભ્યના પુત્ર પર અપહરણનો આક્ષેપ, પોલીસ ફરિયાદ ન નોંધાતા લોકોમાં રોષ
સોર્સ : GSTV
પાટડીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પી.કે. પરમારના પુત્ર સામે એક યુવકનું અપહરણ કરી માર મારવાના ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ દાખલ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે. જોકે, પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં ન આવતા અનુસૂચિત સમાજના આગેવાનોએ આ મામલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
કેબિનેટ મંત્રી ડો.પ્રદ્યુમન વાંજાને પાટડીના ધારાસભ્ય પી.કે. પરમાર દ્વારા આંબેડકરજીની પ્રતિમા અર્પણ કરવામાં આવી હતી. આ પ્રતિમા પર ધારાસભ્ય પી.કે. પરમારે પોતાનું નામ લખ્યું હોવાને કારણે વિવાદ સર્જાયો હતો. આ વિવાદને લઈને રાજરત્ન નાગવંશી નામના યુવકનું ધારાસભ્યના પુત્રએ અપહરણ કરી માર માર્યો હતો. આ ઘટનાના પુરાવા પોલીસને સોંપ્યા છતાં, પોલીસ દ્વારા કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી ન હતી, જેને કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

