VIDEO: સુરેન્દ્રનગરમાં રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ હરકતમાં, લાઉડસ્પીકર દ્વારા જાગૃતિ સાથે ફોગિંગ અને દવાનો છંટકાવ શરૂ
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લામાં ડેંગ્યુ, મેલેરિયા, કોલેરા અને ઝાડા-ઉલટી જેવા રોગચાળાના કેસો વધતા આરોગ્ય વિભાગ તુરંત હરકતમાં આવ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં રોગચાળાથી બચવા અને જાગૃતિ લાવવા માટે લાઉડસ્પીકર દ્વારા લોકોને માર્ગદર્શન આપવાની કામગીરી શરૂ કરાઈ છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા ૨૦ વિશેષ ટીમો મોકલવામાં આવી છે, જેણે ઘરોમાં તથા ટાયરોમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવાની સાથે શંકાસ્પદ મચ્છરોના ઉપદ્રવ સામે દવા છાંટવાની અને ફોગિંગની સઘન કામગીરી હાથ ધરી છે.

