Surendranagar news: સબજેલ તંત્ર આવી વિવાદોમાં, શું ક્ષમતાથી વધુ કેદીઓ ગંભીર સ્થિતિમાં ભોગવી રહ્યા છે સજા?

સોર્સ : GSTV
ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરની સબજેલ હાલ તંત્રની ઘોર બેદરકારીને કારણે વિવાદોમાં ઘેરાઈ છે. 1905માં નિર્મિત આ જેલમાં 125 કેદીઓની ક્ષમતા સામે અત્યારે 300થી વધુ કેદીઓ જેલમાં સજા ભોગવી રહ્યા છે. ધ્રાંગધ્રા સબજેલ બંધ થતા ત્યાંનો ભાર પણ અહીં વધ્યો છે.
જેલ અધિક્ષક, મેડિકલ ઓફિસર અને નર્સ જ નથી
ચોંકાવનારી વિગત એ છે કે, જેલમાં જેલ અધિક્ષક, મેડિકલ ઓફિસર અને નર્સ જેવા મહત્વના પદો વર્ષોથી ખાલી છે. માત્ર 21 કર્મચારીઓ 300 કેદીઓને સંભાળી રહ્યા છે.સુવિધાઓના અભાવે માનસિક તણાવમાં આવેલા 2 કેદીઓએ છેલ્લા 3 દિવસમાં આત્મહત્યાનો પ્રયાસ કરતા તંત્ર દોડતું થયું છે. જર્જરિત હાલત અને ઓવરક્રાઉડિંગને જોતા હવે તાત્કાલિક નવી જેલ બનાવવાની માંગ પ્રબળ બની છે.

