VIDEO: વઢવાણના સ્મશાનમાં મૃતદેહના અગ્નિસંસ્કાર માટે ડાઘુઓને બેસી રહેવું પડે છે કલાકો સુધી, આ છે કારણ
વિકાસ સપ્તાહની ઉજવણી વચ્ચે વિકાસની વાસ્તવિકતા સામે આવી છે. સુરેન્દ્રનગરમાં અગ્નિસંસ્કાર કરવા માટે લાકડાઓ વીણવા જવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વઢવાણ સ્મશાનમાં મૃતદેહને અગ્નિસંસ્કાર આપવા માટેના લાકડાઓ, છાણા અને ઘાસ ખૂટી જતા લાકડા અને છાણા વીણવા પડે છે.
ડાઘુઓ લાકડાના અભાવે કલાકો સુધી સ્મશાનમાં બેસી રહે છે
ડાઘુઓ લાકડાના અભાવે કલાકો સુધી સ્મશાનમાં બેસી રહે છે વ્યવસ્થા થાય પછી અગ્નિસંસ્કાર આપવા મજબૂર બન્યા છે. સુરેન્દ્રનગર વઢવાણના સ્મશાનમાં બે મહિનાથી અગ્નિસંસ્કાર આપવાના લાકડાની ખરીદી જ પાલિકાએ નથી કરી.ત્યારે હવે ક્યારે પાલિકા દ્વારા કામગીરી કરાય છે તે તો જોવુ જ રહ્યુ.

