સુરેન્દ્રનગર: ભેટ ગામે ગેરકાયદેસર ખાણમાં 3 મજૂરોના મોતનો મામલો, બે આરોપીઓ સામે લેન્ડગ્રેબિંગનો ગુનો દાખલ

સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલાય સમયથી કાર્બોસેલની ગેરકાયદેસર ખાણ ધમ ધમે છે. ત્યારે આ વચ્ચે ભેટ ગામે ગેરકાયદેસર ખાણમાં ખોદકામ દરમિયાન થયેલા ત્રણ મજૂરોના મોતના મામલે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં સરકારી જમીન પર ગેરકાયદેસર ખાણ ચલાવાવમાં આવી રહી હતી.
આરોપીઓની ઓળખ જશા કેરાળિયા અને જનક અણીયારીયા તરીકે થઈ
આ મામલે પોલીસે બે આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કર્યો છે. આરોપીઓની ઓળખ જશા કેરાળિયા અને જનક અણીયારીયા તરીકે થઈ છે. મુળી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે, જેથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા અન્ય લોકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે.

