VIDEO: સુરેન્દ્રનગરમાં મોટી દુર્ઘટના ટળી: વણા-માલવણ બ્રિજમાં તિરાડો પડતાં તંત્ર યુદ્ધના ધોરણે એક્શનમાં!
સોર્સ : gstv
સુરેન્દ્રનગરમાં વણાથી માલવણ વચ્ચે આવેલા મેજર બ્રિજનું ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થતાં R&B વિભાગ દ્વારા તાત્કાલિક રીપેરીંગ હાથ ધરવામાં આવ્યું છે. વરસાદને પગલે બ્રિજના નીચેના ભાગેથી પોપડા ઉખડવા લાગ્યા હતા અને પથ્થર પર ઉભેલા બ્રિજના વાટામાં પણ ગંભીર તિરાડો પડી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોઈ સુપ્રિટેન્ડિંગ એન્જિનિયર એન. કે. પ્રજાપતિ અને એન્જિનિયર કલ્પેશ ચૌહાણ સહિતની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરી સમારકામ શરૂ કરાવ્યું હતું. વાહનચાલકોને કોઈ હાલાકી ન પડે અને મોટી દુર્ઘટના અટકે તે માટે તંત્રની તકેદારીના ભાગરૂપે બ્રિજનું રીનોવેશન કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

