VIDEO: સુરેન્દ્રનગરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ૫ કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રાનું
સોર્સ : gstv
સુરેન્દ્રનગરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ૫ કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આન, બાન અને શાનવાળી યાત્રા કલેક્ટર કચેરીથી શરૂ થઈને ઉપાસના સર્કલ સુધી પહોંચી હતી. આ રાષ્ટ્રપ્રેમી આયોજનમાં સુરેન્દ્રનગર કલેક્ટર, પોલીસવડા અને મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ ઉપરાંત, ૧ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને એન.સી.સી.ના કેડેટ્સ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રા દરમિયાન શહેરીજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સૌએ સાથે મળીને દેશપ્રેમની અનોખી મિસાલ કાયમ કરી હતી.

