VIDEO : સુરેન્દ્રનગરમાં મોતની ખાણો, થાનગઢના દેવપરામાં કાર્બોસેલની ખાણમાં ડૂબી જતાં 23 વર્ષીય યુવકનું મોત
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો હવે જીવલેણ સાબિત થઈ રહી છે. થાનગઢના દેવપરા ગામે કાર્બોસેલની ખાણમાં ડૂબી જતાં 23 વર્ષીય રોહિલ મકવાણાનું મોત નિપજ્યું છે. છેલ્લા 8 કલાકમાં આવી ગેરકાયદેસર ખાણોમાં ડૂબી જવાથી બે યુવકોના મોત થતાં વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે. ખનિજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખોદકામ બાદ ખાણો ખુલ્લી મુકી દેવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ઘટના બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

