Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Waterlogging epidemic in Katargam, Surat: Many people, including more than 40 children, are ill

VIDEO: સુરતના કતારગામમાં પાણી ભરાતા રોગચાળો વણસ્યો: 40થી વધુ બાળકો સહિત અનેક લોકો બીમાર

Timeછેલ્લું અપડેટ : 19 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બનતા ભારે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. શહેરના કતારગામ સ્થિત એક ટેનામેન્ટમાં જ 40થી વધુ બાળકો એકસાથે અચાનક બીમાર પડતા પરિવારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વરસાદી અને ગંદા પાણીનો નિકાલ ન થતાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે બાળકોમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના લક્ષણો જોવા મળ્યા છે. આ ઉપરાંત, વડીલો અને યુવાનો ચિકનગુનિયા તેમજ સાંધાના દુખાવાની બીમારીમાં પટકાયા છે. ગંદકી અને ભરાયેલા પાણી અંગે મનપામાં અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યો છે. હાલ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં તાવ, ઉલટી અને કળતરના દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.

App Store