VIDEO/ કેમિકલ માફિયાઓના પાપે પલસાણાના ખેડૂતો મુશ્કેલીમાં, પાક નિષ્ફળ જવાની ભીતિ
સોર્સ : GSTV
સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં કેમિકલ માફિયાઓના આતંકથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.જ્યાં ખેતીની જીવાદોરી સમાન ઘલૂડાં માઇનોર નહેરમાં ઝેરી કેમિકલ ઠાલવવામાં આવતા પાણી પ્રદૂષિત થયું છે. કાળઝાળ ગરમીમાં સિંચાઈ માટે પાણીની જરૂરિયાત વચ્ચે નહેરમાં ફેંકાયેલા આ ઝેરી રસાયણોને કારણે ખેડૂતોને ચામડીની બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ખેડૂતોએ તાલુકા કક્ષાએથી લઈને રાજ્યપાલ સુધી લેખિત રજૂઆતો કરી હોવા છતાંગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા પર્યાવરણ અને ખેતી સામે મોટું જોખમ ઊભું થયું છે.

