Surat news: ટોલનાકા પર સ્થાનિકો પાસેથી પણ વસુલાતો ટોલ ટેક્ષ, વાહનચાલકોમાં રોષની લાગણી

કામરેજ તાલુકાના ચોર્યાસી ગામ નજીક ટોલ બૂથ પર ટોલ ઉઘરાવવાની મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ટોલ બુથ ઉપર વાહન ચાલકો પાસે ટોલ ઉઘરાવાય છે. જેથી વાહનચાલકોમાં રોષ વ્યાપ્યો છે. આ સાથે જ સ્થાનિક વાહનચાલકો પાસેથી પણ ટોલ ઉઘરવાતાં કોંગ્રેસે તેનો વિરોધ કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે.
કામરેજ તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવે નં 48 ઉપર ચોર્યાસી ગામ ખાતે ટોલ પ્લાઝા કાર્યરત છે. આ ટોલ બૂથ પર ટોલ ઉઘરાવવાની મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ટોલ બુથ ઉપર વાહનચાલકો પાસેથી અને સ્થાનિક વાહનચાલકો પાસેથી પણ ટોલ ઉઘરાવાય છે, સાથે જ ટોલ નાકાના કર્મચારીઓ દાદાગીરી કરતાં હોવાના પણ કરાયા આક્ષેપ કરાયો છે. જેથી વાહનચાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
આ મામલે કોંગ્રેસે પણ વિરોધ કર્યો છે અને કામરેજ ટોલ બંધ કરવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. આ તકે મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો તેમજ સ્થાનિક વાહનચાલકો હાજર રહ્યા હતા.

