VIDEO: સુરત: કીમ નદીના જળસ્તરમાં વધારો , ૩૦૦થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું
સોર્સ : gstv
ભારે વરસાદને પગલે કીમ નદીના જળસ્તરમાં વધારો થયો છે. ઓલપાડ તાલુકાના કઠોદરા અને કીમ પૂર્વ વિસ્તારમાં નદીના પાણીએ કહેર વર્તાવ્યો છે. આખેઆખા ઘરો ડૂબી જતા ૩૦૦થી વધુ લોકો ફસાઈ ગયા હતા.ઇન્ડિયન આર્મી, SDRF અને ડી.વાય.એસ.પી. સાથે કીમ પોલીસે મળીને મોટા પાયે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી. કીમ પૂર્વ વિસ્તારની શિવ સાંઈ રેસીડેન્સીમાંથી ૩૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કઠોદરા ગામમાં પણ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.પૂરની સ્થિતિને પગલે સ્થાનિક તંત્ર સતર્ક છે.

