VIDEO: સુરત સિવિલ ડૉક્ટર આપઘાત મામલે યુનિવર્સિટી લાલઘૂમ: ડીનને નોટિસ
સોર્સ : gstv
સુરત સિવિલના રેસિડન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાએ રેગિંગના ત્રાસથી આપઘાત મામલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ બે દિવસ સુધી રિપોર્ટ ન સોંપતાં ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટને નોટિસ ફટકારી છે. યુનિવર્સિટીએ તપાસની વિગતો, સંડોવાયેલા વિદ્યાર્થીઓ, અધ્યાપકોની ભૂમિકા અને કોજેન્ટ પોર્ટલ પર માહિતી અપલોડ ન કરવા બદલ કોલેજ પ્રશાસન પાસેથી જવાબ મંગાવ્યો છે.

