Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat BJP's Adivasi Morcha minister resigns

સુરત ભાજપ નેતાનું તમામ હોદ્દા પરથી રાજીનામું, બારડોલી ભાજપ સંગઠન સામે ગંભીર આક્ષેપો

Timeછેલ્લું અપડેટ : 16 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સુરત ભાજપ નેતાનું તમામ હોદ્દા પરથી રાજીનામું, બારડોલી ભાજપ સંગઠન સામે ગંભીર આક્ષેપો
સોર્સ : GSTV

નવસારી જિલ્લા ભાજપમાં ચાલી રહેલા વિખવાદ બાદ હવે સુરત જિલ્લા ભાજપ સંગઠનમાં પણ ભડકો થયો છે. સુરત જિલ્લા ભાજપ આદિવાસી મોરચાના મંત્રીએ પક્ષના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. રાજીનામું આપતી વખતે તેમણે ભાજપના આંતરિક વિખવાદ અને તાલુકા સંગઠન સામે ગંભીર આક્ષેપો કરતાં પક્ષમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

App Store

બારડોલી ભાજપ સંગઠન સામે ગંભીર આક્ષેપો

સુરત જિલ્લા ભાજપ આદિવાસી મોરચાના મંત્રી ગણપત રાઠોડે જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડને સંબોધીને લખેલા રાજીનામા પત્રમાં પોતાની વ્યથા ઠાલવી છે. તેમણે પત્રમાં જણાવ્યું કે, તેઓ વર્ષ 2009થી 2026 સુધી પક્ષમાં નિષ્ઠાપૂર્વક સક્રિય રહ્યા હોવા છતાં, છેલ્લા પાંચ વર્ષથી બારડોલી તાલુકા સંગઠન અને તાલુકા પંચાયતની ટીમ દ્વારા તેમને કોઈ સહકાર આપવામાં આવતો ન હતો. સંગઠન દ્વારા તેમની સતત અવગણના કરવામાં આવતી હતી અને કામગીરીમાં ભેદભાવ રાખવામાં આવતો હોવાનો પણ તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે.

વિકાસના કામોમાં રોડા નાખવાનો આક્ષેપ

આટલી પ્રતિકૂળતાઓ હોવા છતાં, તેમણે એક નિષ્ઠાવાન કાર્યકર તરીકે પોતાની જવાબદારીઓ નિભાવી હતી. પરંતુ પક્ષના આંતરિક વલણથી કંટાળીને અંતે તેમણે છેડો ફાડવાનો નિર્ણય લીધો છે. તેમણે આ રાજીનામા પાછળ આર્થિક બાબતો અને વિકાસના કામોમાં રોડા નાખવામાં આવતા હોવાનો પણ સંકેત આપ્યો છે.