Surat news: શિવ રેસીડેન્સીના રહીશોને રાહત, બિલ્ડીંગનો સ્ટ્રક્ચર રિપોર્ટ પોઝિટીવ આવતા ઘરમાં રહેવા મળી મંજૂરી

સુરતમાં શિવ રેસીડેન્સીના રહીશો માટે સારા સમાચાર આવ્યા છે. બિલ્ડીંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટીવ આવતા રહીશોએ હાશકારો અનુભવ્યો છે. આવતીકાલે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ રહીશોને રિપોર્ટ બતાવ્યા બાદ ઘરમાં રહેવા મંજૂરી આપશે.
રાજલક્ષ્મી પ્રોજેક્ટનો રિપોર્ટ આવવાનો બાકી
સુરતમાં શિવ રેસીડેન્સીના રહીશો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. બિલ્ડીંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીની ટિમ સ્થળ મુલાકાત લઇ બિલ્ડીંગની મજબૂતાઈ માટે નમૂના લીધા હતા. જે રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેને લઈ રહીશોએ હાશકારો અનુભવ્યો છે. અને હવે આ બિલ્ડીંગમાં રહેવા મંજૂરી મળી છે. આવતીકાલે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ રહીશોને રિપોર્ટ બતાવ્યા બાદ ઘરમાં રહેવા મંજૂરી આપશે. જોકે હજુ જે પ્રોજેક્ટને કારણે રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો તે રાજલક્ષ્મી પ્રોજેક્ટનો રિપોર્ટ આવવાનો બાકી છે. રિપોર્ટ અનુસાર બિલ્ડર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજલક્ષ્મી બિલ્ડરના પાપે શિવ રેસીડેન્સીના 400 રહેવાસીઓને બેઘર થવાનો વારો આવ્યો હતો.

