VIDEO: રાજ્યની તમામ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી અંગે તકેદારી રાખવા આદેશ
સોર્સ : gstv
સુરતના વરાછામાં રેસ્ટોરન્ટમાંથી મંગાવેલા પંજાબી શાકનું સેવન કરવાથી એક જ પરિવારના પાંચ સભ્યોને ગંભીર ફૂડ પોઈઝનિંગ થયું હતું. એક બાળકીનું મોત થયું છે..ત્યારે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી અને શ્રેષ્ઠ તબીબી સારવાર સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે. મંત્રીએ શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી..પ્રફુલ પાનસેરિયાએરાજ્યની તમામ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા, હાઈજિન અને દર્દીઓની સલામતી અંગે કોઈપણ પ્રકારની બેદરકારી ન રહે તે માટે સ્પષ્ટ આદેશ આપ્યો છે.

