VIDEO: રથયાત્રા માટે મેગા સુરક્ષા બંદોબસ્ત, પોલીસે કર્યું રિહર્સલ
સોર્સ : gstv
સુરત શહેરમાં યોજાનારી રથયાત્રાને લઈ પોલીસ દ્વારા મેગા રિહર્સલ યોજી તમામ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. શહેરમાં કુલ 8 રથયાત્રાઓ યોજાશે, જેમાં સૌથી મોટી રથયાત્રા સુરત રેલવે સ્ટેશનથી જહાંગીરપુરા ઇસ્કોન મંદિર સુધી નીકળશે. સમગ્ર રૂટ પર ડ્રોન કેમેરા, બોડી-વોર્ન કેમેરા અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર મારફતે સતત નજર રાખવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થામાં 3 એડિશનલ પોલીસ કમિશનર, 15 ડીસીપી, 25 એસીપી, 125 પીઆઈ, 250 પીએસઆઈ સહિત 3 હજાર પોલીસ કર્મચારીઓ અને 2 હજાર હોમગાર્ડ સહિત કુલ 5,500થી વધુ સુરક્ષા જવાનો તૈનાત રહેશે. શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં રથયાત્રા યોજાય તે માટે પોલીસ તંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.

