Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : INS Surat reaches Gujarat amidst tense situation of war

VIDEO: યુદ્ધની તણાવભરી સ્થિતિ વચ્ચે INS સુરત પહોચ્યું ગુજરાત, બે દિવસ Suratના હજીરા પોર્ટ પર થશે પ્રદર્શિત

Timeછેલ્લું અપડેટ : 01 May 2025
લાઇવ ટીવીGoogle News

ભારતની નૌકાદળની તાકાતનું પ્રતિબિંબ માનાતું આધુનિક લડાકુ જહાજ INS સુરત આજે સુરતના હજીરા સ્થિત અદાણી પોર્ટ પર સન્માનપૂર્વક પહોંચી ગયું છે. યુદ્ધ જેવી તણાવભરી સ્થિતિ વચ્ચે INS સુરતનું ગુજરાતમાં આગમન રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.આ INS સુરત, એ ભારતનું સ્વદેશી રીતે નિર્મિત એક અતિ આધુનિક guided missile destroyer છે, જે ભારતીય નૌકાદળના વિઝન 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. આ જહાજે દુશ્મનોના દરિયાઈ હુમલાઓને પગેછાંપ આપવાની અને આત્મરક્ષા સાથે હુમલો કરવાની સમર્થતા ધરાવે છે.

App Store

પ્રથમવાર ગુજરાત પ્રવાસે INS સુરત

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અગાઉ આ જહાજનું લોકાર્પણ કર્યું હતું અને તે પછી પહેલીવાર આ જહાજ ગુજરાતનાં કોઈ પોર્ટ પર આવ્યું છે. સુરતના અદાણી પોર્ટ પર તેનું આગમન માત્ર પ્રોટોકોલ પૂરતું નથી, પરંતુ તણાવભરી આંતરરાષ્ટ્રીય સ્થિતિમાં દેશની તૈયારી દર્શાવતું છે. જહાજના આગમન સમયે રાજ્યસભાના સભ્ય ગોવિંદભાઈ ધોળકિયા, સુરત જિલ્લા કલેક્ટર અને નૌકાદળના અધિકારીઓ હાજર રહ્યા હતા અને તેમણે ધ્વજવંદન સાથે જહાજનું સ્વાગત કર્યું.

જાહેર દર્શન માટે ખુલ્લું રહેશે જહાજ

INS સુરત આગામી બે દિવસ સુધી સુરતમાં રહેશે. આ સમયગાળા દરમિયાન પોલીસ અધિકારીઓ, સેના પ્રતિનિધિઓ, *NCC (National Cadet Corps)*ના વિદ્યાર્થીઓ તેમજ સામાજિક અગ્રણીઓ અને વિધાર્થીઓને જહાજની અંદરથી મુલાકાત લેવા અને તેના કાર્યોની રૂપરેખા જાણવા મળશે.આવનાર દિવસોમાં સમગ્ર રાજ્યમાંથી લોકો માટે નિયત સમયગાળામાં પ્રવાસ યોજવામાં આવશે. લોકો INS સુરતની આર્કીટેક્ચર, તેના મિસાઈલ લૉન્ચિંગ સિસ્ટમ, રડાર, કમ્યુનિકેશન ડેક અને અન્ય વ્યવસ્થાઓને નજીકથી જોઈ શકશે.

ટેકનોલોજી અને શક્તિનો સમન્વય

INS સુરતમાં BrahMos મિસાઈલ સિસ્ટમ, સૌથી આધુનિક રડાર તંત્ર, ઈલેક્ટ્રોનિક વોરફેર સાધનો અને સુપરસોનિક સેન્સર્સ જેવા તદ્દન આધુનિક સાધનો સજ્જ છે. તે દુશ્મન દેશોની કોઈપણ દરિયાઈ હરકત સામે તરત પ્રતિક્રિયા આપી શકે છે. નૌકાદળના અધિકારીએ જણાવ્યું હતું કે, “INS સુરત એ માત્ર એક જહાજ નથી, તે ભારતીય નૌકાદળની શક્તિ અને આત્મનિર્ભર ભારતનું જીવંત ઉદાહરણ છે.”