VIDEO: નાસીરનગર ડિમોલિશન મામલે સુરત મનપાનો સપાટો, ૫ ઇજનેરો સસ્પેન્ડ
સોર્સ : gstv
સુરત સેન્ટ્રલ ઝોનના નાસીરનગરમાં ગત ૩૦ મે ૨૦૨૬ના રોજ થયેલા ડિમોલિશન મામલે મનપા કમિશનરે ઐતિહાસિક અને મોટી કાર્યવાહી કરી છે. તપાસ સમિતિના અહેવાલ બાદ, ફરજમાં બેદરકારી અને ગેરરીતિ બદલ મુખ્ય ચહેરો ગણાતા કાર્યપાલક ઈજનેર સુજલ પ્રજાપતિ સહિત કુલ ૫ સિવિલ એન્જિનિયરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા અન્ય અધિકારીઓમાં જયાંગ જીવનરામજીવાલા, અર્પણ પરમાર, મોનિક ગઢીયા અને નરેશકુમાર ગલચરનો સમાવેશ થાય છે. આ સમગ્ર મામલે આવતીકાલે સુરત મહાનગરપાલિકા હાઈકોર્ટમાં પોતાનું સોગંદનામું રજૂ કરશે.

