Video: સુરતમાં દવાઓના ઓવરડોઝને લીધે બંને યુવતીઓનું મોત થયું હોવાની શક્યતા, પોલીસે શરૂ કરી તપાસ
સુરતના ડીંડોલીમાં આત્મીય સંસ્કાર ધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. બહેનપણીઓના મૃતદેહ પાસેથી ઈન્જેક્શન અને એનેસ્થેસિયાની દવાની બોટલો મળી આવી હતી. પોસ્ટમોર્ટમ દરમિયાન રોશની શિરશાઠ અને જ્યોત્સના ચૌધરીએ એનેસ્થેસિયાના ઓવરડોઝ દવાના ઈન્જેક્શનો લઈ આપઘાત કર્યો હોવાનું મનાય છે. જો કે બંનેના મોતનું કારણ અકબંધ છે.
બાથરૂમમાંથી જ્યોત્સના ચૌધરીની બેગ પણ મળી છે, જેમાં રોશની અને જ્યોત્સનાની તસવીરો હતી. મૃતક રોશનીએ ગત પાંચ માર્ચે માતા-પિતાની મેરેજ એનેવર્સરીની ધામધુમપૂર્વક ઉજવણી કરી હતી. જો કે બીજા જ દિવસે બહેનપણી સાથે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. તે બેગમાંથી રૂપિયા, કેલ્કયુલેટર, દુપટ્ટો, મોબાઈલ પણ મળ્યા છે. જ્યારે રોશનીની બેગમાંથી કેલક્યુલેટરસ, મોબાઈલ ફોન, બુક અને હોળીના રંગ મળ્યા છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

