VIDEO: લિંબાયતમાં પોલીસની દાદાગીરીનો આક્ષેપ, વેપારીએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
સોર્સ : gstv
સુરતના લિંબાયતમાં 13 જુલાઈની રાત્રે મફત સામાન ન આપવાના મુદ્દે પાંચ પોલીસકર્મીઓએ ટી-સેન્ટરના વેપારી મનોજ સરોજને માર માર્યાના ગંભીર આક્ષેપ થયા છે. વેપારીનો આરોપ છે કે પોલીસકર્મીઓ રોજ દુકાનેથી 700થી 800 રૂપિયાનો સામાન મફતમાં લઈ જતા અને પૈસા માંગતા અદાવત રાખી માર માર્યો હતો. CCTV ફૂટેજમાં પોલીસકર્મીઓ વેપારીને વાળ ખેંચી, દંડાથી મારતા અને ઢસડીને લઈ જતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પીડિતે પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કર્યા બાદ હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરી છે અને હાઈકોર્ટમાં ગયા બાદ જાનથી મારી નાખવાની ધમકી મળ્યાનો આક્ષેપ કર્યો છે. પોલીસના ડરથી અંડરગ્રાઉન્ડ થયેલા વેપારીએ સોશિયલ મીડિયા પર લાઈવ થઈ ગુજરાત સરકાર પાસે ન્યાયની માંગ કરી છે.

