VIDEO: 'જરૂર પડે જીવ આપીશું, પણ જમીન નહીં આપીએ', હિંમતનગરમાં હૂડાનો વિરોધ
સોર્સ : gstv
હિંમતનગરમાં હૂડા નોટિફિકેશન સામે છેલ્લા 85થી વધુ દિવસથી ચાલતો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે. હૂડા હટાવો સંકલન સમિતિના આહ્વાને હજારો ખેડૂતો-મહિલાઓએ મોતીપુરાથી શરૂ કરેલી પદયાત્રા ટાવર ચોકડીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી સમાપન કર્યું. આ પદયાત્રા હિંમતનગરના ઇતિહાસમાં સૌથી મોટી ગણાઈ રહી છે. અગિયાર ગામના ખેડૂતોની એકજ માંગ છે કે, હૂડા નોટિફિકેશનને કાયમી ધોરણે રદ કરવામાં આવે, એક ઈંચ જમીન પણ નહિ આપીએ.
આંદોલનના બીજા તબક્કામાં પ્રવેશતાં રાજકીય આગેવાનો-હોદ્દેદારોને ગામોમાં પ્રવેશબંધી, કાર્યક્રમો પર પ્રતિબંધ જેવા કડક નિર્ણયો લેવાયા છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીઓ સાથેની વાતચીત નિષ્ફળ જતાં ખેડૂતોએ કહ્યું કે, જરૂર પડે જીવ આપીશું, પણ જમીન નહીં આપીએનો સંકલ્પ લીધો છે.

