Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : 3 km of traffic on diversion due to waterlogging in railway underpass in Idar

VIDEO/ Sabarkantha News: ઇડરમાં રેલવે અંડરપાસમાં પાણી ભરાતા ડાયવર્ઝન પર 3 કિમીનો ટ્રાફિક

Timeછેલ્લું અપડેટ : 11 May 2025
લાઇવ ટીવીGoogle News

Sabarkantha News: સાબરકાંઠાના ઇડરમાં રેલવે અંડરપાસની કામગીરીએ ભારે મુશ્કેલી સર્જી છે. ગત રાત્રે પડેલા ભારે વરસાદના કારણે અંડરપાસમાં પાણી ભરાઈ જતાં ઇડર-અંબાજી હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. પરિણામે હજારો મુસાફરો અટવાઈ ગયા છે. ઇડર-અંબાજી હાઇવે પર વાહનોની લાંબી કતાર લાગી હતી. અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે હાઇવેને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. જેના લીધે અહીં મુસાફરો ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

App Store

ઘણા લોકો કલાકોથી અહીં ફસાયેલ છે. માત્ર હાઇવે જ નહીં, પરંતુ તમામ વાહનોને લાલોડા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને ત્યાં પણ લગભગ ત્રણ કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાયો હતો. ગતરાત્રીએ પડેલા સામાન્ય કમોસમી વરસાદમાં જ ઇડરની આ સ્થિતિ ઊભી થઈ છે, તો આમાગી સમયમાં ચોમાસુ સામે છે. માત્ર 15 મી.મી. વરસાદમાં જ ઇડરની આ પરિસ્થિતિ સર્જાય તો હવે ચોમાસામાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તે જોવું રહ્યું. હંમેશાની જેમ વહીવટી તંત્રના અણઘઢ આયોજનનો ભોગ હાલ ઈડરના નગરજનો અને વાહન ચાલકો બની રહ્યા છે.