જેતપુર: નિષ્ઠુર જનેતાએ નવજાતને કચરામાં ફેંકી દીધું, સ્થાનિકોએ મળી આવતા શિશુને હોસ્પિટલ ખસેડ્યું

સભ્ય સમાજને શર્મસાર કરતો કિસ્સો ફરીથી સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે જેતપુરના ભોજાધાર વિસ્તારમાંથી નવજાત બાળક મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
નિષ્ઠુર જનેતાએ નવજાત બાળક ત્યજી
નિષ્ઠુર જનેતાએ જન્મેલું નવજાત બાળકને ત્યજી દીધું હતું. બાળક ત્યજી હાલતમાં મળી આવ્યું હતું. નવજાત શિશુ ઉપર સ્થાનિકો નજર પડતાં તેઓએ સેવાભાવી અને પોલીસને આ અંગે જાણકરી હતી.
નવજાત બાળકને સારવાર અર્થે જેતપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું
પોલીસની મદદ લઈ નવજાત બાળકને સારવાર અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. સમગ્ર મામલે જેતપુર શહેર પોલીસે બાળકના માતા-પિતાની શોધખોળ આરંભી છે.

