Rajkot/ હીરાસર એરપોર્ટ પર સુરક્ષાનું જોખમ: 26 CCTV બંધ હાલતમાં!

રાજકોટના નવા બનેલા અને હાઇ-સિક્યુરિટી હેઠળ આવતા રાજકોટ આંતરરાષ્ટ્રીય હીરાસર એરપોર્ટ પર સુરક્ષાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. તાજેતરમાં મુસાફરના સામાનની ચોરીની ઘટના બન્યા બાદ સીસીટીવી કેમેરાની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
એરપોર્ટની સુરક્ષા પર ગંભીર સવાલ
ચકાસણી દરમિયાન જાણવા મળ્યું છે કે એરપોર્ટ પર લગાવવામાં આવેલા કુલ 465 સીસીટીવી કેમેરા પૈકી 26 કેમેરા બંધ હાલતમાં છે. હીરાસર એરપોર્ટ 'એર સેન્સેટિવ' અને 'હાઇ-સિક્યુરિટી' ઝોન હેઠળ આવતું હોવા છતાં આટલી મોટી સંખ્યામાં કેમેરા બંધ રહેવા એ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલ ઊભો કરે છે.
સુરક્ષા નિષ્ણાતોના મતે, સીસીટીવી કેમેરા બંધ હોવાને કારણે દુશ્મનોને ખુલ્લું આમંત્રણ મળી શકે છે, જે એરપોર્ટની સુરક્ષા માટે મોટો ખતરો છે. સામાનની ચોરીની ઘટના બાદ આ ગંભીર બેદરકારી સામે આવતા, જવાબદાર અધિકારીઓ દ્વારા આ મામલે ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સુરક્ષાના આ ગંભીર મામલે તાત્કાલિક પગલાં લેવા અને કેમેરાને કાર્યરત કરવા આવશ્યક છે

