Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot news: A shocking revelation was made about the burning of the body after the murder of an elderly man in Raiyadahar

Rajkot news: રૈયાધારમાં વૃદ્ધની હત્યા બાદ મૃતદેહ સળગાવવા મુદ્દે આવો ચોંકાવનારો ખુલાસો થયો

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot news: રૈયાધારમાં વૃદ્ધની હત્યા બાદ મૃતદેહ સળગાવવા મુદ્દે આવો ચોંકાવનારો ખુલાસો થયો

Rajkot news: રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં સેવા ભક્તિ કરતા વૃદ્ધની હત્યા કરી આરોપીઓ દ્વારા લાશ સળગાવવાના કેસમાં પોલીસને લૂંટના ઈરાદે વૃદ્ધની હત્યા કરી હોવાની પોલીસને આશંકા છે. યુનિવર્સિટી પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

App Store

મળતી માહિતી અનુસાર, રાજકોટમાં આવેલા રૈયાધારમાં બે દિવસ અગાઉ શાંતિનગર ગેટ નજીકથી મનસુખ ટાંકનો મૃતદેહ તેમના ઘરેથી મળ્યો હતો. જેથી પોલીસને આ અંગેની જાણ થતા પોલીસે મૃતદેહનું પીએમ કરાયા બાદ એક હકીકત સામે આવી જેમાં મૃતદેહ સળગાવવાનો પ્રયાસ થયો હોવાનું ખુલ્યું હતું. જો કે, વૃદ્ધની હત્યા લૂંટના ઈરાદે કરી હોવાની પોલીસને આશંકા છે. જેને લઈ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.