Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot news 28 tourists get food poisoning after having breakfast at Gondal Swaminarayan Temple

ગોંડલ સ્વામિનારાયણ મંદિરે નાસ્તો કર્યા બાદ 28 પ્રવાસીઓને થઈ ફૂડ પોઇઝનિંગની અસર, હોસ્પિટલમાં સારવાર હેઠળ

Timeછેલ્લું અપડેટ : 20 Mar 2024
લાઇવ ટીવીGoogle News
ગોંડલ સ્વામિનારાયણ મંદિરે નાસ્તો કર્યા બાદ 28 પ્રવાસીઓને થઈ ફૂડ પોઇઝનિંગની અસર, હોસ્પિટલમાં સારવાર હેઠળ

રાજકોટના ગોંડલમાં સ્વામિનારાયણ મંદિરે નાસ્તો કર્યા બાદ 28 પ્રવાસીઓને ફૂડ પોઇઝનિંગની અસર થતા આ આ તમામ પ્રવાસીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

App Store

મળતી માહિતી મુજબ આણંદ, નડિયાદ અને ગાંધીનગરના પ્રવાસીઓએ સવારે ગોંડલ સ્વામિનારાયણ મંદિરે નાસ્તો કર્યો હતો. ત્યારબાદ આ તમામ પ્રવાસીઓ ગોંડલથી  ખોડલધામ કાગવડ જવા નીકળ્યા હતા. આ દરમિયાન વીરપુર પાસે પહોંચતા તમામની તબિયત બગાડી હતી.

આ 28 પ્રવાસીઓને ફૂડ પોઇઝનિંગની અસર થતા વીરપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે.