VIDEO: રાજકોટ મનપા ચાંદીપુરા વાયરસ સામે સંપૂર્ણ સજ્જ
સોર્સ : gstv
રાજકોટમાં ચાંદીપુરા વાયરસને લઈને મનપાનું આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યું છે. હાલ શહેરમાં એકપણ કેસ નોંધાયો નથી, પરંતુ વર્ષ 2024 અને 2025 દરમિયાન એક-એક કેસ નોંધાયા બાદ તંત્ર દ્વારા વિશેષ સતર્કતા વધારી દેવામાં આવી છે.ચાંદીપુરા વાયરસ 'સેન્ડ ફ્લાઈ' માખીના કરડવાથી ફેલાતો હોવાથી, મનપા દ્વારા સાવચેતીના ભાગરૂપે કણકોટ, ભગવતીપરા સહિતના પશુપાલન વિસ્તારો અને કુલ 2,085 ઘરોમાં મેલેથ્યોન પાઉડરનો છંટકાવ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા નાગરિકોને આ માખીથી બચવા અને સાવચેતી રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

