Dhoraji news: ઝેરી જીવાત કરડવાથી વધુ એક વ્યક્તિનું મોત, જાણો કુલ મૃત્યુઆંક

સોર્સ : GSTV
ધોરાજીના પાટણવાવ ખાતે ઝેરી જીવાતના કારણે વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. દર્દીએ સારવાર દરમ્યાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો છે. અગાઉ પાટણવાવ ખાતે ઝેરી જીવાતના ત્રાસના કારણે બે વ્યક્તિના મોત નીપજ્યા હતા.
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દવાનો છંટકાવ શરુ
રાજકોટ જિલ્લાના ધોરાજી સહીત અન્ય ગામોમાં ઝેરી જીવાતે દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે, ત્યારે આજે ધોરાજીના પાટણવાવ ખાતે ઝેરી જીવાતના કારણે વધુ એકનું મોત વ્યક્તિનું મોત નીપજ્યું છે. જીવરાજભાઈ માવજીભાઈ ભીમાણીની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, પણ ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું છે. વધુ એક મોત બાદ આરોગ્ય વિભાગની ટીમ પાટણવાવ ખાતે પહોંચી હતી અને દવાનો છંટકાવ શરુ કર્યો હતો. ઝેરી જીવાતના કરડવાથી મોતના કારણે ગ્રામજનોમાં ફરી ફફડાટ ફેલાયો છે.

