VIDEO: રાજકોટના જંગલેશ્વરમાં રસ્તો પહોળો કરવા માટે મનપાએ કવાયત વધારી, સોમવારથી ડિમોલિશનની કામગીરી શરૂ કરાશે
સોર્સ : GSTV
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રસ્તો પહોળો કરવા માટે મનપાએ કવાયતની ઝડપ વધુ વધારી છે. ઇન્ચાર્જ TPOની આગેવાનીમાં અધિકારીઓએ રામકૃષ્ણ નગરની કર્યું હતું. તંત્રએ લોકોને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા અપીલ કરતા જણાવ્યું છે કે, સોમવારથી ડિમોલિશનની કામગીરી શરૂ કરાશે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના આજી નદીના પટ્ટા અને ટી.પી. રોડ પરના દબાણો દૂર કરાશે. મનપાએ રહેવાસીઓને અલ્ટીમેટમ આપી દીધું છે.
આ મામલે મિશ્ર પ્રતિસાદ
જોકે, આ મામલે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. રમઝાન માસને ધ્યાને રાખી વિસ્તારના આગેવાનોએ હાલ ડિમોલિશન ન કરવા તંત્રને રજૂઆત કરી છે. હવે જોવાનું એ રહેશે કે મનપા માનવતાવાદી અભિગમ અપનાવી કામગીરી મોકૂફ રાખે છે કે પછી બુલડોઝર ફેરવી દેશે.

