VIDEO: સાંસદ પરષોત્તમ રુપાલાએ એસ.ટી. બસમાં કરી મુસાફરી; Rajkot પહોંચી વિજય રૂપાણીને અર્પણ કરી શ્રદ્ધાંજલિ
સોર્સ : GSTV
રાજકોટના સાંસદ પરષોત્તમ રુપાલાએ અમદાવાદથી રાજકોટ સુધી એસ.ટી. બસમાં મુસાફરી કરી હતી. સામાન્ય મુસાફરો સાથેની તેમની આ સફર ચર્ચાનો વિષય બની છે. રાજકોટ પહોંચ્યા બાદ રૂપાલાએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે રૂપાણીના જાહેર જીવન અને રાજ્યના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સાંસદ રૂપાલાની સામાન્ય જનતા વચ્ચે રહી કરાયેલી મુસાફરી અને પૂર્વ મુખ્યમંત્રી પ્રત્યે વ્યક્ત કરાયેલ સન્માનને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જાગી છે.

