VIDEO: સ્વાતંત્ર્ય પર્વ અને તિરંગા યાત્રાના ટેન્ડર વિવાદમાં: એન્કરથી લઈને સાફા અને નાસ્તાના ભાવ ચર્ચાના કેન્દ્રમાં
સોર્સ : gstv
રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનના ખર્ચના વિવાદ બાદ હવે સ્વતંત્રતા પર્વ અને તિરંગા યાત્રાના કાર્યક્રમોના ટેન્ડરના ભાવ પણ ચર્ચામાં આવ્યા છે. તિરંગા યાત્રા માટે આર.કે. ઇવેન્ટ અને ભાવિક કેટરર્સ દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યા હતા, જેમાં એન્કરના ભાવ અનુક્રમે 8,000 અને 5,500 રૂપિયા આવ્યા છે....૧૫ ઓગસ્ટના કાર્યક્રમ માટે સાફાના 150 રૂપિયા પ્રતિ વ્યક્તિનો ભાવ નક્કી થયો છે. ચા-નાસ્તા માટે આર.કે. ઇવેન્ટે 150 રૂપિયા અને ભાવિક કેટરર્સે 145 રૂપિયાનો ભાવ ભર્યો છે, જેમાં ભાવિક કેટરર્સ જાહેર થયું છે. આ મામલે હવે અધિકારીઓ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે....

