Rajkot: કૂતરા કરડવાના કેસમાં 34 ટકાનો વધારો, દૈનિક 35 થી 47 બનાવ

સોર્સ : gstv
રાજકોટ શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ સતત વધી રહ્યો છે. છેલ્લા આઠ મહિનામાં શ્વાન કરડવાના કેસમાં 34 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેમાં દૈનિક 35થી 47 બનાવો સામે આવી રહ્યા છે. આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ, આઠ મહિનામાં 11,292 લોકો શ્વાનના કરડવાનો ભોગ બન્યા છે, જેમાંથી 4,228 લોકોને મનપા અને સિવિલ હોસ્પિટલમાં મફત ઇન્જેક્શન આપવામાં આવ્યા છે.
વ્યંધિકરણ અને રસીકરણ
કૂતરાના વ્યંધિકરણ અને રસીકરણ માટે મનપા દર મહિને રૂ. 8 લાખનો ખર્ચ કરે છે, પરંતુ આ તોતિંગ ખર્ચ છતાં કૂતરાની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. આ સ્થિતિથી શહેરના નાગરિકોમાં ભયનો માહોલ છે અને તેઓ મનપા પાસે કડક પગલાંની માંગ કરી રહ્યા છે.

