VIDEO: પોરબંદરમાં મુખ્યમંત્રીએ ત્રિરંગો ફરકાવ્યો, ગાંધીની ભૂમિ પરથી સત્ય અને અહિંસા મામલે કરી વાત
79માં સ્વાતંત્ર્ય પર્વના અવસરે ગુજરાતના પોરબંદર ખાતે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા અને શહેર પ્રમુખ સાગર મોદી સહિતના નેતાઓ પોરબંદરમાં ધજા રોહણના કાર્યક્રમમાં પહોંચ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિરંગો ફરકાવ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિરંગો ફરકાવ્યો હતો. 79માં પર્વની ઉજવણી પોરબંદર એટેલ કે ગાંધીનીભૂમીમાં ભવ્ય ઉજવણી કરવમાં આવી હતી. મુખ્યમંત્રીએ મંચ પરથી સત્ય અને અહિંસા મામલે વાત કરી હતી.
પોરબંદર આજે સંપૂર્ણ રીતે દેશભક્તિમાં મગ્ન
પોરબંદરમાં યોજાનાર કાર્યક્રમમાં 'બાપુના પગલે તિરંગા ભારત' થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.. આ દરમિયાન વિશ્વ વિખ્યાત મણિયારો રાસ, ટિપ્પણી રાસ, તાંડવ નર્તન અને ઉત્સાહી ગરબા જેવા વિવિધ નૃત્યો પણ કરવામાં આવશે. આ ઉપરાંત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા ગોલ્ડન ગાંધી સહિતની કલાકારોની ટીમ પણ હાજર રહેશે અને આ કાર્યક્રમમાં પરફોર્મન્સ કરશે.

