Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પોરબંદર : Food poisoning of 21 female students in Khambhala

પોરબંદર: ખંભાળાની કન્યા છાત્રાલયમાં 21 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, પાણીપુરી-ઇડલી ખાધા બાદ થઈ અસર

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2024
લાઇવ ટીવીGoogle News
પોરબંદર: ખંભાળાની કન્યા છાત્રાલયમાં 21 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, પાણીપુરી-ઇડલી ખાધા બાદ થઈ અસર

રાણાવાવ તાલુકાના ખંભાળાની કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓને પાણીપુરી અને ઇડલી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થયું હતું. જેના પગલે તમામને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

App Store

પ્રાપ્ત માહિતી પ્રમાણે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ખંભાળા ગામે સ્થિત કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયમાં ગત રાત્રિએ વિદ્યાર્થિનીઓએ પાણીપુરી અને ઇડલી ખાધી હતી. જે પૈકી 21 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગની અસર થતાં દોડધામ મચી ગઈ હતી. 

હાલ વિદ્યાર્થિનીઓની તબિયત સુધારા પર

જોકે, તમામને સારવાર માટે રાણવાવની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જયાં ફરજ પરના તબીબોએ સારવાર આપી હતી. હાલ વિદ્યાર્થિનીઓની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે.