પાટણ: હેમચંદ્રાચાર્ય ઉ.ગુજરાત યુનિવર્સીટી ગુણ સુધારણા કૌભાંડનો મામલો, 4 વિદ્યાર્થીઓ સહિત 6 સામે પોલીસ ફરિયાદ

પાટણના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના MBBS પુનઃ મુલ્યાંકન ગુણ સુધારણા કૌભાંડ મામલે આખરે યુનિવર્સિટી સત્તવાળાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પાટણ બી ડીવીઝન પોલીસે 4 વિદ્યાર્થી અને બે કર્મચારી સાથે 6 સામે ફરિયાદ નોંધાઈ છે. જોકે તત્કાલિન વી.સી. જે.જે. વોરા સામે ફરિયાદમાં નામ નથી.
કોની સામે ફરિયાદ
પટેલ પરિમલ અરવિંદભાઈ
મહેશ્વરી પાર્થ અશોકભાઈ,
કોડીયાતર રાજદીપ નાનજીભાઈ,
કનુભાઈ ચૌધરી સિનિયર વિદ્યાર્થી,
દિવ્ય મહેશભાઈ પટેલ,
ઉદય કુમાર રમેશભાઈ ઓઝા,
બે પરીક્ષા વિભાગ mavફરજ બજાવતા રોજમદાર કર્મચારી
બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાત્રે વીસી અને રજીસ્ટ્રારએ ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2018માં એબીબીએસના ચાર વિદ્યાર્થીના ચાર વિદ્યર્થીઓની ઉત્તરવહી બદલી ગુણ સુધારવાનો મામલો બહાર આવ્યો હતો. 6 વર્ષ બાદ આખરે કથિત રીતે સંડોવાયેલા કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ થઈ છે.

