Patan: પ્રેમ લગ્નના વિવાદ વચ્ચે લોક ગાયિકા કિંજલ રબારી પોતાના ઘરે પરત ફરી

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને મીડિયા જગતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી લોક ગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નનો મામલો હવે થાળે પડતો જણાય છે. કિંજલ રબારી આખરે પોતાના વતન રાધનપુરના સીનાળ ગામે પિતાના ઘરે પરત આવી પહોંચી છે.
નોંધનીય છે કે, થોડા સમય પહેલા કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો, જેમાં તેણે પ્રેમ લગ્ન કર્યા હોવાની વાત વહેતી કરી હતી. આ વીડિયો સામે આવ્યા બાદ સમાજ અને સોશિયલ મીડિયામાં અનેક તર્ક-વિતર્ક અને સવાલો ઊભા થયા હતા. આ મામલે કિંજલના પરિવારજનો અને સામાજિક આગેવાનોમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી હતી. તમામ અટકળો અને વિવાદોની વચ્ચે, કિંજલ રબારી હવે સુરક્ષિત રીતે પોતાના ઘરે પરત ફરી છે. તેના વતન પરત ફરવાના સમાચાર મળતા જ તેના ચાહકો અને પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે. ગાયિકાના ઘરે પરત ફર્યા બાદ આ વિવાદનો હવે અંત આવશે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

