VIDEO: ગોધરાની સુદર્શન સોસાયટીમાં તલાટી સુરસીંગ રાઠોડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
સોર્સ : gstv
ગોધરામાં રહેતા અને કાલોલ તાલુકામાં તલાટી તરીકે ફરજ બજાવતા સુરસીંગ રાઠોડ નામના વ્યક્તિએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કર્યો છે. મૂળ મોરવા હડફ તાલુકાના દેલોચ ગામના વતની એવા સુરસીંગ રાઠોડે આ પગલું ભરતા પહેલા પોતાના પિતાને ફોન કરીને પોતાનું જીવન ટૂંકાવવાની વાત કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, વિતેલા રક્ષાબંધનના તહેવાર વખતે પરિવારમાં કોઈ બાબતે પારિવારિક વિવાદ થયો હતો, જેને કારણે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

